રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત 4 શાળાઓમાં અભ્યાસ કરતા 182 વિદ્યાર્થીઓના એડમિશન રદ્દ , તપાસમા જાણવા મળ્યું વાલીઓની વાર્ષિક આવક RTE માટે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હતી

અમદાવાદ: ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) યોજનાનો હેતુ વંચિત પરિવારોના બાળકો માટે ખાનગી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો છે. જો કે, તાજેતરના અહેવાલોમાં પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિઓ સામે આવી છે.આવક મર્યાદા ઓળંગવા બદલ પ્રવેશ રદ કરાયો: સમીક્ષા દરમિયાન અમદાવાદમાં 180 વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી છે. જેમના માતા-પિતાની આવક લાયકાતના માપદંડ કરતાં વધી જવાને કારણે RTE યોજના હેઠળના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. ઉદગમ શાળા સૌથી વધુ અસરગ્રસ્ત: 126 વિદ્યાર્થીઓ RTE પ્લેસમેન્ટ ગુમાવીને ઉદગમ શાળા ટોચ પર છે. વધુમાં, એશિયન ગ્લોબલ સ્કૂલના 46 વિદ્યાર્થીઓ અને આનંદ નિકેતન અને ઝેબર સ્કૂલના પાંચ-પાંચ વિદ્યાર્થીઓ પણ પ્રભાવિત થયા છે.

ગુજરાતમાં ઓછી આવક ધરાવતા પરિવારના બાળકો ખાનગી શાળામાં સારૂ શિક્ષણ મેળવી શકે તે માટે સરકાર દ્વારા રાઈટ ટૂ એજ્યુકેશન (RTE) યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના ડેઠળ પ્રવેશ મેળવવામાં અગાઉ અનેક ગેરરીતિઓ સામે આવી ચુકી છે. એવામાં યોજના અંતર્ગત નિયત આવક કરતાં વાલીઓની આવક વધતા અમદાવાદની વિવિધ સ્કૂલોમાંથી 180 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન રદ્દ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.અમદાવાદની જે સ્કૂલના વિદ્યાર્થીઓના એડમિરાન રદ્દ કરવામાં આવ્યા છે, તેમાં સૌથી વધુ ઉદ્દગમ સ્કુલના 126 વિદ્યાર્થીઓ છે. આ સિવાય એશિયન ગ્લોબલ સ્કૂલના 46 અને આનંદ નિકેતન અને ઝેબર સ્કૂલના 5-5 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ્દ કરવામાં આવ્યા છે.ઠકીકતના ઉપરોક્ત ચારેય સ્કૂલો દ્વારા DEO કચેરીમાં ફરિયાદ કરવામાં આવી હતી કે, તેમની સાળામાં ATE અંતર્ગત અભ્યાસ કરતાં કેટલાક વિદ્યાર્થીના વાલીની આવક 1.50 લાખ કરતાં વધારે છે. સ્કુલ દ્વારા વાલીની આવકના પુરાવા અને ઈન્કમટેક્સ રિટર્ન સહિતના પુરાવા DEO કચેરીમાં આપવામાં આવ્યા હતા.જે બાદ આજે DEO કચેરી દ્વારા વાલીઓને રુબરુ ખોલાવીને હિયરિંગ કરવામાં આવ્યું ડતુ જો કે કેટલાક વાલીઓ બોલાવવા છતાં આવ્યા નહતા. વાલીઓએ પોતાની રજૂઆતમાં જણાવ્યુ કે, અમે જ્યારે RTE અંતર્ગત એડમિશન લીધુ, ત્યારે અમારી આવક ઓછી હતી. જો કે પછી આવકમાં વધારો થયો હતો. હવે ફરીથી આવક ઘટી હોવા છતાં એડમિરાન રદ્દ કરવામાં આવ્યા છે. આથી અમારા બાળકને ફરીથી RTEમાં એડમિશન આપવામાં આવે. અમે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરીશું.જણાવી દઈએ કે, RTE અંતર્ગત એડમિશન મેળવવા માંગતા વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક 150 લાખ જ હોવી જોઈએ. 2009 બાદ આવક મર્યાદામાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો. જ્યારે અન્ય રાજ્યોમાં આવક મર્યાદા 2.50 લાખ છે. આથી વાલી મંડળ વાર્ષિક આવક મર્યાદા વધારવા માટે મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પણ રજૂઆત કરશે તેમ જાણવા મળ્યું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles